જીવન માં આવું પણ થાય છે...
મિત્રો,અતિસુંદર કાવ્યપંક્તિ રજૂ કરું છું,
એકવાર તો જરૂરથી વાંચજો...ખૂબ મજા આવશે...!!!
જેને ચાહો છો તે ક્યારેક ખોવાય જાય છે.
જેને પ્રેમ કરોછો તે ક્યારેક છીનવાય જાય છે.
જે મળ્યું છે તે લુટાઈ જાય છે.
આંખ માં ફક્ત આંસુઓ ની ધાર રહી જાય છે.
તેને પણ કોઈ અજનબી લુછી જાય છે.
ખુશી ની સાથે ગમ પણ બેવફા બની જાય છે.
તમે હસતા હોય અને આંખો રડતી દેખાય છે.
તમે જેને ભૂલી શકતા નથી એ તમને જ ભૂલી જાય છે.
દિલ થી તમારા એ ક્યાંક દૂર ચાલ્યા જાય છે.
જે સપના હતા એ તૂટીને ચકનાચૂર થઇ જાય છે.
પછી તેમની ખુશી માં તમારી ખુશી દેખાય છે.
પછી ધીમેથી દિલને મનાવી લેવાય છે.
થોડીક પળો પછી ઝીંદગી "SET" થઇ જાય છે.
પછી યાદો યાદ બનીને રહી જાય છે.
"પવન" ઝીંદગી નો એમ ને એમ વહી જાય છે.
પ્રેમ નું બલિદાન આપી ઝીંદગી તો જીવી લેવાય છે,
પણ...
પછી ભગવાન સામે ફક્ત એકજ ફરિયાદ રહી જાય છે...
કે...
"આવું મારી સાથે જ કેમ થાય છે??????????
No comments:
Post a Comment